Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers
૭૧ પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી તારીખ ૨૬/૦૧/૨૦૨૦ ના રોજ સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનીવર્સીટી, સરદારકૃષિનગરમાં યુનીવર્સીટી સ્પોર્ટ મેદાન પર કરવામમાં આવી હતી. ધ્વજવંદનના મુખ્ય કાર્યક્રમ પહેલા માનનીય કૃષિ મંત્રી શ્રી આર. સી. ફળદુ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પ અને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ શ્રી ડો. આર. કે. પટેલ, જીલ્લા સમાહર્તા શ્રી સંદીપ સાંગલે અને જીલ્લા પોલીસવડા શ્રી તરુણ કુમાર દુગ્ગલ ની ઉપસ્થિતમાં રાજ્યના કૃષિ મંત્રી શ્રી આર. સી. ફળદુના હસ્તે સવારે ૯.૦૦ કલાકે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જીલ્લા પોલીસ તંત્રની વિવિધ પ્લાટૂન દ્વારા માનનીય મંત્રીશ્રીને સલામી આપવામાં આવી હતી અને આકર્ષક પરેડ રજુ કરવામાં આવી હતી. માનનીય કૃષિમંત્રીએ પ્રાસંગિક ઉદબોધનમાં સર્વે ઉપસ્થિત નાગરિકો, વિધાર્થીઓ અને કર્મચારીઓને પ્રજાસત્તાક દિવસની શુભકામના પાઠવી હતી અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના લોકાભીમુખ શાશન દ્વારા મેળવેલ સિદ્ધિઓનું વર્ણન કર્યું હતું અને યુનીવર્સીટી દ્વારા ચાલતા ખેડૂત લક્ષી સંશોધનની પ્રસંશા કરી હતી. જીલ્લાની વિવિધ શાળાઓના વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ વિભગોના ટેબ્લોએ ઉપસ્થિત જનમેદનીમાં અનોખું આકર્ષણ જમાવ્યું હતું. તેમજ અશ્વ શો, ડોગ શો, માર્શલ આર્ટના દાવ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.માનનીય મંત્રીશ્રી દ્વારા વિવિધ યોજનાઓ અને સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામમાં આવ્યું હતું. માનનીય મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષા રોપણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન મોટી સંખ્યામાં દાંતીવાડા તાલુકાના ગ્રામજનો, વિધાર્થીઓ, ખેડૂતો, કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Tags : પ્રજાસત્તાક પર્વની ઉજવણી,
Phone: (02748)278226
Fax: (02748)278234
Sardarkrushinagar - 385506.
Dist : Banaskantha.
Gujarat,India.
Copyright © SDAU. All rights reserved. | Terms for Use | Privacy Statement | Maintained By : Information Technology Cell, SDAU