Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જીનીયરીંગ દ્વારા હાલમાં વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહેલ મહામારી કોરોના વાયરસ અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરેલ. આચાર્યશ્રી ડો. જી. કે. સક્સેનાએ વિદ્યાર્થીઓને કોરોના વાયરસના લક્ષણો અંગે જાણકારી આપેલ તેમજ તેનાથી બચાવ અંગે માહિતગાર કરેલ. તેઓશ્રીએ વિદ્યાર્થીઓને સતર્ક રહેવા જણાવેલ તેમજ ખુબ જ જરૂરી હોય તેવા કિસ્સાઓમાં જ ઘરની બહાર ભીડવાળી જગ્યાએ જવાનું જણાવેલ. વધુમાં વારંવાર હાથ ધોવા તેમજ અંગત સ્વાસ્થ્ય અને સ્વચ્છતા રાખવા પર પણ ભાર મુકેલ. શ્રી જે. આર. સામરિયાએ વિદ્યાર્થીઓને માસ્ક વિષે માહિતગાર કરેલ તેમજ તેના ઉપયોગ અંગે જણાવેલ. અંતમાં મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓને વાયરસના ચેપથી બચવા અને સાવચેતીના ભાગરૂપે માસ્કનું વિતરણ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રીની રાહબરી હેઠળ શ્રી જે. આર સામરીયા (એન.સી.સી. ઇન્ચાર્જ) તેમજ ડો. ડી. બી. પટેલ (એન.એસ.એસ. ઇન્ચાર્જ) દ્વારા કરવામાં આવેલ.
Phone: (02748)278226
Fax: (02748)278234
Sardarkrushinagar - 385506.
Dist : Banaskantha.
Gujarat,India.
Copyright © SDAU. All rights reserved. | Terms for Use | Privacy Statement | Maintained By : Information Technology Cell, SDAU