Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers
કૃષિ સંશોધન કેન્દ્ર,સ.દા.ક્રૃ.યુ. આસેડા ખાતે તા. ૦૨/૧૦/૨૦૨૦ના રોજ ૧૫૦મી ગાંધી જયંતિ નિમિતે સ્વચ્છભારત અભિયાન અંતર્ગત કચેરી તેમજ ફાર્મની સ્વછતાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ સંશોધન કેન્દ્ર,આસેડાના કચેરી વડા તથા મદદનીશ ફાર્મ મેનેજરશ્રી ડો.કુંજલ એમ પટેલ દ્વારા પ્રસંગોચીત્ત ઉદબોદન કરવામાં આવ્યુ જેમાં તેઓએ ૧૫૦મી ગાંધી જયંતિ નિમિતે ગાંધીજીના સ્વચ્છતાના સ્મરણોની ચર્ચા કરી તથા દરેક કર્મચારીઓ (ટેકનીકલ અને નોન ટેકનીકલ) તથા ખેત મજુરો દ્વારા “સ્વચ્છ ભારત અભિયાન,એક કદમ સ્વચ્છતાની તરફ”ની પ્રતિજ્ઞા લેવામાં આવી ત્યાર બાદ કૃષિ સંશોધન કેન્દ્ર,આસેડાની કચેરીની સંપુર્ણ સફાઇ કરવામાં આવી તથા દરેક કર્મચારીઓ અને ફાર્મના ખેત મજુરો દ્વારા ફાર્મના રોડ તેમજ ફાર્મગોડાઉનની સફાઇ કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમની અંતે શ્રી ડી.પી. જોષી (ખેતીવાડી અધિકારી) દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી.
Tags : કૃષિ સંશોધન કેન્દ્ર, સ.દા.ક્રૃ.યુ. આસેડા ખાતે ૧૫૦મી ગાંધી જયંતિ નિમિતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમની ઉજવણી,
Phone: (02748)278226
Fax: (02748)278234
Sardarkrushinagar - 385506.
Dist : Banaskantha.
Gujarat,India.
Copyright © SDAU. All rights reserved. | Terms for Use | Privacy Statement | Maintained By : Information Technology Cell, SDAU