Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers
સ.દાં.કૃષિ યુનિવર્સિટી હસ્તકનીકોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એનવાયરમેન્ટલ એન્જીનીયરીંગ,વેટરનરી પોલિટેકનિક તથા યુવા કાર્ય અને ખેલ મંત્રાલય,ભારત સરકારના જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર,પાલનપુરના સંયુક્ત ઉપક્રમે સ્વસ્છ ભારત અભિયાન અંતર્ગત “સ્વસ્છ ગામ હરિયાળું ગામ” તાલીમ શિબિરનું આયોજન ૧૦ માર્ચ ૨૦૨૧ ના રોજ કરવામાં આવેલ. જેમાં અત્રેની યુનિવર્સિટીની કોલેજના આચાર્યશ્રી,અધિકારી/કર્મચારીઓ,જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર,પાલનપુરના અધિકારી/કર્મચારીઓ તેમજ તાલીમાર્થીઓ સહિત ૫૦ જેટલાએ ભાગ લીધેલ. શ્રી દેવેન્દ્ર વ્યાસ,જિલ્લા યુવા અધિકારી,શ્રી દેવેન્દ્ર પારેખ,તાલીમ સંયોજક,ગુજરાત પર્યાવરણ સંસ્થા અને શ્રી કમલેશ ભાસ્કર,ડાયરેક્ટરશ્રી,બરોડા આર.સે.ટી. અને અન્ય ઉપસ્થિત વકતાઓએ પ્રસંગ અનુરૂપ સ્વસ્છ ગામ હરિયાળું ગામ લગતી,ભારત સરકારની વિવિધ યોજનાઓ,સ્વસ્છતા અને પાણી પ્રત્યેના માનવજીવન માટે હકારાત્મક અભિગમ સહિતની વિવિધ બાબતો પર માહિતી આપેલ અને જળશપથ લેવડાવી તાલીમનું સમાપન કરેલ. આ પ્રસંગે પશુપાલન પોલિટેકનિકના આચાર્યશ્રી ડો. એ.એસ.શેખે પ્રસંગને અનુરૂપ વક્તવ્યઆપેલ.એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરો,એસ.આર.સી ઇન્ચાર્જ તથા દરેક સંસ્થાના કર્મચારીઓએ પ્રોગ્રામને સફળ બનાવવા યોગદાન આપેલ.. પ્રોગ્રામના અંતે અત્રેની મહાવિધ્યાલયના એન.એસ.એસ. પ્રોગ્રામ ઇન્ચાર્જ ડો.ડી.બી. પટેલસૌનો આભાર વ્યક્ત કર્યો.
Phone: (02748)278226
Fax: (02748)278234
Sardarkrushinagar - 385506.
Dist : Banaskantha.
Gujarat,India.
Copyright © SDAU. All rights reserved. | Terms for Use | Privacy Statement | Maintained By : Information Technology Cell, SDAU