Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, ગાંધીનગરના સહયોગથી સર્ટીફિકેટ ઇન એગ્રીકલ્ચરલ એક્ષટેંન્સન સર્વિસીસ ફ્રોર ઇનપુટ ડીલર એજીઆર-૫૮ તાલીમનું આયોજન સરદાર સ્મૃતિ કેન્દ્ર, વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તા.૦૮.૧૧.૨૦૧૯ થી તા.૨૪.૦૧.૨૦૨૦દરમ્યાન કરવામાં આવેલ. આ તાલીમમાં કુલ-૪૦ જેટલા તાલીમાંર્થીઓને સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને ખાતાના અધિકારીઓ ધ્વારા ખેતીમાં હવામાન, જમીન અને તેનું સ્વાસ્થ્ય, સંકલિત પોષણ વ્યવસ્થાપન, સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન,પાક ઉત્પાદન,પોસ્ટ હાર્વેસ્ટ અને ખેતીમો યોન્ત્રીકરણ પિયત વ્યવસ્થાપન, કૃષિ વિષયક કાયદાઓ, કૃષિ ધિરાણ, પાક વીમો અંગેના વ્યાખ્યાનો દ્વારા તાલીમ આપવામાં આવી અને યુનિવર્સિટીના જુદાજુદા સંશોધન કેન્દ્રોની ફિલ્ડ વિઝીટ કરાવવામાં આવેલ હતી.
આ તાલીમના તાલીમાંર્થીઓને માન.વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.વી.ટી.પટેલ અને સરદાર સ્મૃતિ કેન્દ્ર, વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરીના મદદ.વિસ્તરણ શિક્ષણ શાસ્ત્રી, શ્રી આર.સી.પ્રજાપતિ અને ડૉ.જે.કે.પટેલ, તાલીમ સહાયકઉપસ્થિત રહી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવેલ. આ સમારંભના સમાપન સમારોહમાંડૉ.વી.ટી.પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીએ ડીલરોને અત્રેથી મેળવેલ જ્ઞાનનો ઉપયોગ કરી ખેડૂતોને સાચી માહિતી સમયસર પહોચાડવા અનુરોધ કર્યો હતો. સમગ્ર તાલીમનાકાર્યક્રમનું સંચાલન શ્રી આર.સી.પ્રજાપતિ, મદદ. વિસ્તરણ શિક્ષણ શાસ્ત્રી દ્વારા કરવામાંઆવેલ.
Phone: (02748)278226
Fax: (02748)278234
Sardarkrushinagar - 385506.
Dist : Banaskantha.
Gujarat,India.
Copyright © SDAU. All rights reserved. | Terms for Use | Privacy Statement | Maintained By : Information Technology Cell, SDAU